-
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જર્મની ખાતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે નોટબંધી, જીએસટી અને બેરોજગારીના કારણે ભીડ હિંસા (મોબ લીન્ચીંગ) જેવી ઘટનાઓ વધી રહી છે. હેમ્બર્ગમાં એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે ભાજપ સરકાર દ્વારા ખોટી રીતે જીએસટી લાગુ કરવાથી તેમજ નોટબંધીના કારણે નાના ઉદ્યોગો પાયમાલ થઇ ગયા છે. જેના કારણે બેરોજગારીમાં વધારો થયો તેમજ તેના ગુસ્સાના કારણે લોકોમાં ભીડ હિંસા જેવી ખતરનાક ઘટનાઓ થવા લાગી છે. રાહુલ ગાંધીએ ભારતમાં ગરીબો, દલિતો પર અત્યાચાર થવાના આરોપ લગાવતા આતંકી સંગઠન આઇએસના સંગઠનના ફેલાવાનું ઉદાહરણ પણ આપ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે વિશ્વમાં કોઇ પણ મોટી સંખ્યામાં લોકોને વિકાસની પ્રક્રિયાથી દૂર રાખવામાં આવે તો વિદ્રોહી સમૂહની સંખ્યામાં વધારો જોવા મળે છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે હાલમાં દેશમાં ઘણી ખતરનાક સ્થિતિ છે, જેની તમને અહીં વિદેશમાં જાણ કરવામાં આવતી નથી.
-
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જર્મની ખાતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે નોટબંધી, જીએસટી અને બેરોજગારીના કારણે ભીડ હિંસા (મોબ લીન્ચીંગ) જેવી ઘટનાઓ વધી રહી છે. હેમ્બર્ગમાં એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે ભાજપ સરકાર દ્વારા ખોટી રીતે જીએસટી લાગુ કરવાથી તેમજ નોટબંધીના કારણે નાના ઉદ્યોગો પાયમાલ થઇ ગયા છે. જેના કારણે બેરોજગારીમાં વધારો થયો તેમજ તેના ગુસ્સાના કારણે લોકોમાં ભીડ હિંસા જેવી ખતરનાક ઘટનાઓ થવા લાગી છે. રાહુલ ગાંધીએ ભારતમાં ગરીબો, દલિતો પર અત્યાચાર થવાના આરોપ લગાવતા આતંકી સંગઠન આઇએસના સંગઠનના ફેલાવાનું ઉદાહરણ પણ આપ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે વિશ્વમાં કોઇ પણ મોટી સંખ્યામાં લોકોને વિકાસની પ્રક્રિયાથી દૂર રાખવામાં આવે તો વિદ્રોહી સમૂહની સંખ્યામાં વધારો જોવા મળે છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે હાલમાં દેશમાં ઘણી ખતરનાક સ્થિતિ છે, જેની તમને અહીં વિદેશમાં જાણ કરવામાં આવતી નથી.