કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠીના લોકોને પત્ર લખ્યો હતો. રાહુલે કહ્યું કે અમેઠી મારો પરિવાર છે. અમેઠી સાથે મારો ભાવનાત્મક નાતો. પરિવારના સભ્યોની વચ્ચે જેટલી લાગણી હોય છે તેટલી લાગણી મને અમેઠી સાથે છે. ભાજપ જૂઠ અને પૈસાના જોરે ચૂંટણી લડવા માગે છે. અમેઠી મારો પરિવાર છે. મારો અમેઠીનો પરિવાર મને ઘણી હિંમત આપે છે કે હું સચ્ચાઈ સાથે ખડો છું. હું ગરીબ કમજોર લોકોની પીડા સાંભળી શકં અને તેમનો અવાજ બની શકું.બધાને માટે સમાન ન્યાયનો સંકલ્પ લઈ શકું. રાહુલે કહ્યું કે મારો અમેઠી પરિવાર જાણે છે કે ભાજપના લોકોએ ચૂંટણી દરમિયાન જૂઠની ફેક્ટરી શરૂ કરી છે અને પૈસાની નદીઓ વહાવે છે. કોંગ્રેસ પાર્ટી ગરીબો, નાના દુકાનદારો માટે કામ કરવા માગે છે તો ભાજપનો મકસદ ૧૫-૨૦ ઉદ્યોગપતિઓ માટે કામ કરવાનો છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠીના લોકોને પત્ર લખ્યો હતો. રાહુલે કહ્યું કે અમેઠી મારો પરિવાર છે. અમેઠી સાથે મારો ભાવનાત્મક નાતો. પરિવારના સભ્યોની વચ્ચે જેટલી લાગણી હોય છે તેટલી લાગણી મને અમેઠી સાથે છે. ભાજપ જૂઠ અને પૈસાના જોરે ચૂંટણી લડવા માગે છે. અમેઠી મારો પરિવાર છે. મારો અમેઠીનો પરિવાર મને ઘણી હિંમત આપે છે કે હું સચ્ચાઈ સાથે ખડો છું. હું ગરીબ કમજોર લોકોની પીડા સાંભળી શકં અને તેમનો અવાજ બની શકું.બધાને માટે સમાન ન્યાયનો સંકલ્પ લઈ શકું. રાહુલે કહ્યું કે મારો અમેઠી પરિવાર જાણે છે કે ભાજપના લોકોએ ચૂંટણી દરમિયાન જૂઠની ફેક્ટરી શરૂ કરી છે અને પૈસાની નદીઓ વહાવે છે. કોંગ્રેસ પાર્ટી ગરીબો, નાના દુકાનદારો માટે કામ કરવા માગે છે તો ભાજપનો મકસદ ૧૫-૨૦ ઉદ્યોગપતિઓ માટે કામ કરવાનો છે.