દેશમાં પાંચમાં તબક્કા માટે સોમવારે મતદાન યોજાઈ રહ્યું છે. આ તબક્કામાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંઘ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના અનેક નેતાઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે. રાજનાથ સિંઘે સવારે સાડા સાત વાગ્યે પોતાના માતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લખનઉ બેઠક પર તેમનો મુકાબલો શત્રુઘ્નસિંહાના પત્ની તેમજ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પૂનમ સિંહા સાથે છે. મત આપ્યા બાદ રાજનાથ સિંઘે કેમેરા સામે શાહી લગાડેલી આંગળી બતાવી પોઝ આપ્યો હતો.
આ પ્રસંગે ચૂંટણી પરિણામ વિશે પૂછવામાં આવતા પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, "હું કંઈ પણ અંદાજ ન લગાવી શકું. હું આ અંગેનો નિર્ણય લખનઉના મતદારો પર છોડું છું."
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યુ કે, "કોની પસંદગી કરવી તે લોકોનો અબાધિત અધિકાર છે. જોકે, કોઈ પણ પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી પીએમ બનશે."
દેશમાં પાંચમાં તબક્કા માટે સોમવારે મતદાન યોજાઈ રહ્યું છે. આ તબક્કામાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંઘ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના અનેક નેતાઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે. રાજનાથ સિંઘે સવારે સાડા સાત વાગ્યે પોતાના માતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લખનઉ બેઠક પર તેમનો મુકાબલો શત્રુઘ્નસિંહાના પત્ની તેમજ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પૂનમ સિંહા સાથે છે. મત આપ્યા બાદ રાજનાથ સિંઘે કેમેરા સામે શાહી લગાડેલી આંગળી બતાવી પોઝ આપ્યો હતો.
આ પ્રસંગે ચૂંટણી પરિણામ વિશે પૂછવામાં આવતા પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, "હું કંઈ પણ અંદાજ ન લગાવી શકું. હું આ અંગેનો નિર્ણય લખનઉના મતદારો પર છોડું છું."
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યુ કે, "કોની પસંદગી કરવી તે લોકોનો અબાધિત અધિકાર છે. જોકે, કોઈ પણ પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી પીએમ બનશે."