કેન્દ્ર સરકારની ખેડૂત અને મજૂરવિરોધી નીતિઓનો વિરોધ કરવા બુધવારે રાજધાની દિલ્હીમાં હજારો ખેડૂત, મજૂર અને ખેતમજૂરોએ સડકો પર ઊતરીને રામલીલા મેદાનથી સંસદમાર્ગ સુધીની ઐતિહાસિક રેલીમાં વિરોધપ્રદર્શન કર્યું હતું. ખેડૂત અને શ્રમિકોની રેલીના પ્રારંભ પહેલાં સીટુ અને કિસાનસભા દ્વારા તેમની માગોની યાદી રજૂ કરાઈ હતી. તેમાં કેન્દ્ર સરકાર પર ખેડૂત અને મજૂરવિરોધી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ રામલીલા મેદાન ખાતેથી રેલીનો પ્રારંભ થયો હતો, જેમાં દેશભરમાંથી આવેલા હજારો ખેડૂત, ખેતમજૂર અને શ્રમિકો જોડાયા હતા. રેલીમાં પૂરગ્રસ્ત કેરળના ખેડૂતો પણ જોડાયા હતા.
કેન્દ્ર સરકારની ખેડૂત અને મજૂરવિરોધી નીતિઓનો વિરોધ કરવા બુધવારે રાજધાની દિલ્હીમાં હજારો ખેડૂત, મજૂર અને ખેતમજૂરોએ સડકો પર ઊતરીને રામલીલા મેદાનથી સંસદમાર્ગ સુધીની ઐતિહાસિક રેલીમાં વિરોધપ્રદર્શન કર્યું હતું. ખેડૂત અને શ્રમિકોની રેલીના પ્રારંભ પહેલાં સીટુ અને કિસાનસભા દ્વારા તેમની માગોની યાદી રજૂ કરાઈ હતી. તેમાં કેન્દ્ર સરકાર પર ખેડૂત અને મજૂરવિરોધી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ રામલીલા મેદાન ખાતેથી રેલીનો પ્રારંભ થયો હતો, જેમાં દેશભરમાંથી આવેલા હજારો ખેડૂત, ખેતમજૂર અને શ્રમિકો જોડાયા હતા. રેલીમાં પૂરગ્રસ્ત કેરળના ખેડૂતો પણ જોડાયા હતા.