સાધિકા ઉપર સુરત સહિતના આશ્રમોમાં વારંવાર બળાત્કાર ગુજારનારા નારાયણ સાંઈને મંગળવારે એડિશનલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. સાથોસાથ સાંઈના કુકર્મમાં સાથ આપનારી બંને બહેનો ગંગા, જમના અને મુખ્ય સાગરીત હનુમાનને પણ ૧૦ વર્ષની જેલનો હુકમ કર્યો હતો. ડ્રાઇવર રમેશ મલ્હોત્રાને પણ છ માસ કેદની સજા કરાઇ હતી. ન્યાયમૂર્તિએ પીડિતાને પાંચ લાખનું વળતર ચૂકવવા બળાત્કારી સાંઈને આદેશ કર્યો હતો. પાંચ કલાક લાંબી ચાલેલી અંતિમ સુનાવણીને અંતે ન્યાયમૂર્તિએ પાંચેય આરોપીઓને સજા ફટકારી હતી.
સાધિકા ઉપર સુરત સહિતના આશ્રમોમાં વારંવાર બળાત્કાર ગુજારનારા નારાયણ સાંઈને મંગળવારે એડિશનલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. સાથોસાથ સાંઈના કુકર્મમાં સાથ આપનારી બંને બહેનો ગંગા, જમના અને મુખ્ય સાગરીત હનુમાનને પણ ૧૦ વર્ષની જેલનો હુકમ કર્યો હતો. ડ્રાઇવર રમેશ મલ્હોત્રાને પણ છ માસ કેદની સજા કરાઇ હતી. ન્યાયમૂર્તિએ પીડિતાને પાંચ લાખનું વળતર ચૂકવવા બળાત્કારી સાંઈને આદેશ કર્યો હતો. પાંચ કલાક લાંબી ચાલેલી અંતિમ સુનાવણીને અંતે ન્યાયમૂર્તિએ પાંચેય આરોપીઓને સજા ફટકારી હતી.