અમદાવાદના આરએસએસના નેતા નરેન્દ્રસિંહ સીસોદીયા પદ્માવત ફિલ્મના વિરોધમાં 23મી જાન્યુઆરીથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. તેમણે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સીટીએમ ચાર રસ્તા નજીક બ્રિજ નીચે પોતાના આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. સમગ્ર ગુજરાત રાજપૂત સમાજના સભ્ય એવા નરેન્દ્રસિંહએ ફિલ્મ નહીં રિલિઝ કરવા માંગ કરી છે.