Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેરળનાં સબરીમાલા મંદિર ખાતે રજસ્વલા મહિલાઓને પ્રવેશ નહીં આપવાની ૮૦૦ વર્ષ જૂની પરંપરાનો અંત લાવતા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બુધવારે સાંજે પાંચ કલાકે સબરીમાલા મંદિરનાં દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખોલાયાં હતાં. મંદિરનાં દ્વાર ખૂલતાં જ શ્રદ્ધાળુઓએ ધસારો કર્યો હતો પરંતુ મહિલા શ્રદ્ધાળુઓેને મંદિરમાં પ્રવેશ કરતી અટકાવાઈ હતી. આ પહેલાં બુધવાર સવારથી જ કેરળમાં ભારે તણાવ જોવા મળ્યો હતો. બુધવાર સવારથી જ સબરીમાલાના ગેટ-વે તરીકે ઓળખાતા નિલાક્કલ ખાતે સબરીમાલામાં રજસ્વલા મહિલાઓના પ્રવેશના વિરોધી શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં એકઠાં થયાં હતાં અને મહિલાઓને મંદિર તરફ જતાં અટકાવી હતી. શ્રદ્ધાળુઓ દ્વારા નિલાક્કલ અને પમ્પા ખાતે બસો, ટેક્સીઓ અને અન્ય વાહનો અટકાવીને મહિલાઓેને મંદિર તરફ જતાં રોકવામાં આવી હતી. બપોર બાદ સુપ્રીમના ચુકાદાનો વિરોધ કરી રહેલા શ્રદ્ધાળુઓએ મહિલા પત્રકારોને નિશાન બનાવતાં પોલીસે શ્રદ્ધાળુઓને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે ખદેડવાનો પ્રયાસ કરતાં શ્રદ્ધાળુઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
 

કેરળનાં સબરીમાલા મંદિર ખાતે રજસ્વલા મહિલાઓને પ્રવેશ નહીં આપવાની ૮૦૦ વર્ષ જૂની પરંપરાનો અંત લાવતા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બુધવારે સાંજે પાંચ કલાકે સબરીમાલા મંદિરનાં દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખોલાયાં હતાં. મંદિરનાં દ્વાર ખૂલતાં જ શ્રદ્ધાળુઓએ ધસારો કર્યો હતો પરંતુ મહિલા શ્રદ્ધાળુઓેને મંદિરમાં પ્રવેશ કરતી અટકાવાઈ હતી. આ પહેલાં બુધવાર સવારથી જ કેરળમાં ભારે તણાવ જોવા મળ્યો હતો. બુધવાર સવારથી જ સબરીમાલાના ગેટ-વે તરીકે ઓળખાતા નિલાક્કલ ખાતે સબરીમાલામાં રજસ્વલા મહિલાઓના પ્રવેશના વિરોધી શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં એકઠાં થયાં હતાં અને મહિલાઓને મંદિર તરફ જતાં અટકાવી હતી. શ્રદ્ધાળુઓ દ્વારા નિલાક્કલ અને પમ્પા ખાતે બસો, ટેક્સીઓ અને અન્ય વાહનો અટકાવીને મહિલાઓેને મંદિર તરફ જતાં રોકવામાં આવી હતી. બપોર બાદ સુપ્રીમના ચુકાદાનો વિરોધ કરી રહેલા શ્રદ્ધાળુઓએ મહિલા પત્રકારોને નિશાન બનાવતાં પોલીસે શ્રદ્ધાળુઓને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે ખદેડવાનો પ્રયાસ કરતાં શ્રદ્ધાળુઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ