ઉદ્યોગોના કેમિકલયુક્ત કચરો અને કેમિકલયુક્ત ગંદું પાણી વર્ષોથી નદીઓમા ઠલવાય છે પરિણામે નદીઓ પ્રદૂષિત થાય છે. આ નદીઓનું પ્રદૂષિત પાણી જ્યાં જ્યાં આગળ વધે છે ત્યાં ત્યાં ખેતીની જમીનને (farm land) બિન ઉપજાઉ બનાવે છે. જે લોકો આ નદીઓનું પાણી પીવે છે તેમને રોગયુક્ત બનાવે છે. ખળખળ વહેતી શુધ્ધ નીરવાળી નદીઓ ઉદ્યોગોના પ્રતાપે કેવી તેજોહીન બની જાય છે. તેનું ઉત્તમ ઉદાહરણ દિલ્હીની યમુના નદી છે. યમુના નદીનું ધાર્મિક તેમજ પૌરાણિક દ્રષ્ટિએ આગવું મહત્ત્વ સદીઓથી રહ્યું છે.પરંતુ, હાલ આ ઉદ્યોગોને કારણે આ નદીનું અસ્તિત્વ જ જોખમાયું છે. ત્યારે, ગુજરાતમા પણ નદીઓના લેવલે આવી ભયાવહ સ્થિતિનું નિર્માણ ના થાય તે માટે ગુજરાત સરકારે સમયસર જાગી ને હવે સાબરમતી મહી, વિશ્વામિત્રી અને ભાદર નદીને 2275 કરોડના ખર્ચે પ્રદૂષણમુક્ત બનાવાનો નિર્ણય લીધો છે.
ઉદ્યોગોના કેમિકલયુક્ત કચરો અને કેમિકલયુક્ત ગંદું પાણી વર્ષોથી નદીઓમા ઠલવાય છે પરિણામે નદીઓ પ્રદૂષિત થાય છે. આ નદીઓનું પ્રદૂષિત પાણી જ્યાં જ્યાં આગળ વધે છે ત્યાં ત્યાં ખેતીની જમીનને (farm land) બિન ઉપજાઉ બનાવે છે. જે લોકો આ નદીઓનું પાણી પીવે છે તેમને રોગયુક્ત બનાવે છે. ખળખળ વહેતી શુધ્ધ નીરવાળી નદીઓ ઉદ્યોગોના પ્રતાપે કેવી તેજોહીન બની જાય છે. તેનું ઉત્તમ ઉદાહરણ દિલ્હીની યમુના નદી છે. યમુના નદીનું ધાર્મિક તેમજ પૌરાણિક દ્રષ્ટિએ આગવું મહત્ત્વ સદીઓથી રહ્યું છે.પરંતુ, હાલ આ ઉદ્યોગોને કારણે આ નદીનું અસ્તિત્વ જ જોખમાયું છે. ત્યારે, ગુજરાતમા પણ નદીઓના લેવલે આવી ભયાવહ સ્થિતિનું નિર્માણ ના થાય તે માટે ગુજરાત સરકારે સમયસર જાગી ને હવે સાબરમતી મહી, વિશ્વામિત્રી અને ભાદર નદીને 2275 કરોડના ખર્ચે પ્રદૂષણમુક્ત બનાવાનો નિર્ણય લીધો છે.