-
સુપ્રિમ કોર્ટના પાંચ જજોની બનેલી એક બેંચે 4 વિરૂધ્ધ 1ની બહુમતિથી ઐતિહાસિક ચુકાદો આપીને ઠરાવ્યું હતું કે કેરસમાં ભગવાન અયપ્પનનું મંદિર કે જે સબરીમાલા મંદિર તરીકે પણ પ્રખ્યાત છે તેમાં હવે કોઇપણ ઉમરની મહિલાઓ મંદિરમાં પ્રવેશ કરી શક્શે. અત્યાર સુધી 10થી 50 વર્ષની વયની મહિલાઓને(માસિક ધર્મ શરૂ થઇને કુદરતી રીતે પૂર્ણ થતું હોય એ વયની મહિલાઓ) મંદિરમાં પ્રવેશ અપાતો નહોતો. છેલ્લાં 53 વર્ષની આ પ્રથાને મહિલા અરજદારો દ્વારા કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. 2 ઓક્ટોબરના રોજ નિવૃત થઇ રહેલા મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાની અધ્યક્ષતા વાળી બેંચમાં એક માત્ર મહિલા જજ જસ્ટીસ ઇન્દુ મલ્હોત્રા જો કે અન્ય જજો સાથે સહમત નહોતા અને તેમનો એવો મત હતો કે આ મંદિરમાં અમુક વયની મહિલાઓને મંદિર પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે તે યોગ્ય છે અને તેમાં કોઇ ફેરફાર કરવા જોઇએ નહીં. સુપ્રિમના આ ચુકાદાને જો કે મંદિરના સત્તાવાળાઓ ત્રાવણકોર દેવસમ્ બોર્ડ દ્વારા પડકારવાની વિચારણા ચાલી રહી હોવાના અહેવાલ છે. 4 જજોએ ક્યું કે સમાજે જુની પુરાણી માન્યતાઓ બદલવી પડશે. મહિલાઓ સમાજમાં બરાબરીના ભાગીદાર છે તે સત્ય હકીકત સ્વીકારવી પડશે.
-
સુપ્રિમ કોર્ટના પાંચ જજોની બનેલી એક બેંચે 4 વિરૂધ્ધ 1ની બહુમતિથી ઐતિહાસિક ચુકાદો આપીને ઠરાવ્યું હતું કે કેરસમાં ભગવાન અયપ્પનનું મંદિર કે જે સબરીમાલા મંદિર તરીકે પણ પ્રખ્યાત છે તેમાં હવે કોઇપણ ઉમરની મહિલાઓ મંદિરમાં પ્રવેશ કરી શક્શે. અત્યાર સુધી 10થી 50 વર્ષની વયની મહિલાઓને(માસિક ધર્મ શરૂ થઇને કુદરતી રીતે પૂર્ણ થતું હોય એ વયની મહિલાઓ) મંદિરમાં પ્રવેશ અપાતો નહોતો. છેલ્લાં 53 વર્ષની આ પ્રથાને મહિલા અરજદારો દ્વારા કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. 2 ઓક્ટોબરના રોજ નિવૃત થઇ રહેલા મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાની અધ્યક્ષતા વાળી બેંચમાં એક માત્ર મહિલા જજ જસ્ટીસ ઇન્દુ મલ્હોત્રા જો કે અન્ય જજો સાથે સહમત નહોતા અને તેમનો એવો મત હતો કે આ મંદિરમાં અમુક વયની મહિલાઓને મંદિર પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે તે યોગ્ય છે અને તેમાં કોઇ ફેરફાર કરવા જોઇએ નહીં. સુપ્રિમના આ ચુકાદાને જો કે મંદિરના સત્તાવાળાઓ ત્રાવણકોર દેવસમ્ બોર્ડ દ્વારા પડકારવાની વિચારણા ચાલી રહી હોવાના અહેવાલ છે. 4 જજોએ ક્યું કે સમાજે જુની પુરાણી માન્યતાઓ બદલવી પડશે. મહિલાઓ સમાજમાં બરાબરીના ભાગીદાર છે તે સત્ય હકીકત સ્વીકારવી પડશે.