ભારત અને પાકિસ્તાન વચ્ચેની સિંધુ જળ સંધીને ગેર કાયદે અને ગેર બંધારણીય જાહેર કરવાની જાહેર હિતની એક અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.'આ સંધી ૧૯૬૦ની છે અને અડધી સદી કરતાં વધુ સમયથી એની જાળવી રખાઇ છે' એમ વકીલ એમ.એલ. શર્મા દ્વારા કરાયેલી જાહેર હિતની અરજીને ફગાવતા ચીફ જસ્ટિસ જે.એસ.ખેહરની આગેવાની હેઠળની બેંચે કહ્યું હતું.