-
ગુજરાતમાં નર્મદા ડેમ નજીક આકાર પામીને ઉદઘાટન માટે તૈયાર સરદાર પટેલની 182 મીટરની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા અને પ્રતિમા સ્થળ સાધુબેટનો માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના જોવાલાયક સ્થળોમાં સમાવેશ કરાશે. ટુરીઝમ વિભાગ દ્વારા તેને દેશ-વિદેશમાં પ્રચલિત કરાશે. આ સ્થળે કઇ કઇ સુવિધાઓ હાલમાં અને ભવિષ્યમાં આકાર લેશે તેના પર નજર નાંખીએ તો આ મુજબ છે.....
- આ સ્થાન વિશ્વ પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બને તેવી વ્યવસ્થા
-રોજ ના 15 હજાર થી વધુ પ્રવાસીઓ આ સ્થળ ની મુલાકાત લેશે
-અખંડ ભારતની પ્રત્યક્ષ અનુભૂતિ માટે દરેક રાજ્યના અતિથિ ભવન(ગેસ્ટ હાઉસ કે સરકીટ હાઉસ) આકાર લેશે.
-ભાજપ શાસિત રાજ્યો પોતાના ગેસ્ટ હાઉસ માટે આગળ આવશે.
-યુ.પી સરકાર સહિત અન્ય રાજ્યોને આવા અતિથિ ભવન નિર્માણ માટે ગુજરાત સરકારે ટોકન દરે જમીન આપવા સહયોગની ખાતરી આપી છે.
-સરદાર પટેલની વિરાટતમ પ્રતિમા વિશ્વ સમક્ષ ઉજાગર કરવા લાઈટ એન્ડ લેસર શો સહિતની અદ્યતન સુવિધાઓ વિક્સાવશે.
- આ પ્રતિમાના લોકાર્પણ બાદ દરેક રાજ્યો ના નાગરિકો એકતા-અખંડિતતાનું આ સ્મારક જોવા આવે તેવું વ્યાપક આયોજન હાથ ધરાશે.
-આગામી દિવસોમાં વિવિધ રાજ્યોના પોલીસ વડાઓની પરિષદ તેમજ રાજ્યોની વિધાન સભાના અધ્યક્ષો ની કોન્ફરન્સ પ્રતિમા સ્થળે ટેન્ટ સીટીમાં યોજાશે.
-વાયબ્રન્ટ સમિટ વખતે તમામ મહેમાનોને પ્રતિમા બતાવવા સાધુબેટની મુલાકાત ગોઠવાશે
-ભવિષ્યમાં વિવિધ રાજ્યોના ભાતીગળ મેળાઓ પ્રતિમા સ્થળે યોજવાનું આયોજન
-
ગુજરાતમાં નર્મદા ડેમ નજીક આકાર પામીને ઉદઘાટન માટે તૈયાર સરદાર પટેલની 182 મીટરની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા અને પ્રતિમા સ્થળ સાધુબેટનો માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના જોવાલાયક સ્થળોમાં સમાવેશ કરાશે. ટુરીઝમ વિભાગ દ્વારા તેને દેશ-વિદેશમાં પ્રચલિત કરાશે. આ સ્થળે કઇ કઇ સુવિધાઓ હાલમાં અને ભવિષ્યમાં આકાર લેશે તેના પર નજર નાંખીએ તો આ મુજબ છે.....
- આ સ્થાન વિશ્વ પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બને તેવી વ્યવસ્થા
-રોજ ના 15 હજાર થી વધુ પ્રવાસીઓ આ સ્થળ ની મુલાકાત લેશે
-અખંડ ભારતની પ્રત્યક્ષ અનુભૂતિ માટે દરેક રાજ્યના અતિથિ ભવન(ગેસ્ટ હાઉસ કે સરકીટ હાઉસ) આકાર લેશે.
-ભાજપ શાસિત રાજ્યો પોતાના ગેસ્ટ હાઉસ માટે આગળ આવશે.
-યુ.પી સરકાર સહિત અન્ય રાજ્યોને આવા અતિથિ ભવન નિર્માણ માટે ગુજરાત સરકારે ટોકન દરે જમીન આપવા સહયોગની ખાતરી આપી છે.
-સરદાર પટેલની વિરાટતમ પ્રતિમા વિશ્વ સમક્ષ ઉજાગર કરવા લાઈટ એન્ડ લેસર શો સહિતની અદ્યતન સુવિધાઓ વિક્સાવશે.
- આ પ્રતિમાના લોકાર્પણ બાદ દરેક રાજ્યો ના નાગરિકો એકતા-અખંડિતતાનું આ સ્મારક જોવા આવે તેવું વ્યાપક આયોજન હાથ ધરાશે.
-આગામી દિવસોમાં વિવિધ રાજ્યોના પોલીસ વડાઓની પરિષદ તેમજ રાજ્યોની વિધાન સભાના અધ્યક્ષો ની કોન્ફરન્સ પ્રતિમા સ્થળે ટેન્ટ સીટીમાં યોજાશે.
-વાયબ્રન્ટ સમિટ વખતે તમામ મહેમાનોને પ્રતિમા બતાવવા સાધુબેટની મુલાકાત ગોઠવાશે
-ભવિષ્યમાં વિવિધ રાજ્યોના ભાતીગળ મેળાઓ પ્રતિમા સ્થળે યોજવાનું આયોજન