કેનેડાની ગુજરાતી યુવતી દ્રારા હરિધામ સોખડાના સાધુ સુજ્ઞેય સ્વામી પર કથિત દુષ્કર્મની ફરિયાદ બાદ સાધુ સુજ્ઞેયે દુષ્કર્મના આક્ષેપોનો ઈન્કાર કરતાં કહ્યું હતું કે, મે દુષ્કર્મનું કૃત્ય કર્યું જ નથી. છતા યુવતી સાથે લાગણીશીલ બનીને એવી વાત કરી એ મારી ભૂલ હતી. તેમણે પોતાના પર થયેલા આક્ષેપોથી કોઈ હરિભક્તોની લાગણી દુભાઈ હોય તે માટે ક્ષમા માગી હતી.