Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટે હિંસક આંદોલનો સામે આકરું વલણ અપનાવતાં જણાવ્યું હતું કે, આંદોલનો અને બંધના એલાનો દરમિયાન થતાં મોત અને જાહેર તથા ખાનગી સંપત્તિના નુકસાન માટે ટોળાંને હિંસા માટે ઉશ્કેરનારા સંગઠનોના નેતાઓને વ્યક્તિગત રીતે ક્રિમિનલ કેસનો સામનો કરવો પડશે. તેમણે હિંસાનો ભોગ બનેલા પીડિતોને વળતરની ચુકવણી પણ કરવી પડશે. નિવૃત્ત થયેલા ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની બેન્ચે ફિલ્મો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને કલાની સ્વતંત્રતાની વિરુદ્ધમાં દેખાવોના નામે જાહેર અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે ટોળાંને ઉશ્કેરનાર સંગઠનોના નેતાઓ પર ગુનાઇત જવાબદારી લાદવાનો આદેશ આપ્યો છે. બેન્ચે જણાવ્યું હતું કે, ટોળાં દ્વારા થતી હિંસા અને થતાં નુકસાનની ભરપાઇ કરવા માટે કરદાતા પર બોજો નાખી શકાય નહીં.
 

સુપ્રીમ કોર્ટે હિંસક આંદોલનો સામે આકરું વલણ અપનાવતાં જણાવ્યું હતું કે, આંદોલનો અને બંધના એલાનો દરમિયાન થતાં મોત અને જાહેર તથા ખાનગી સંપત્તિના નુકસાન માટે ટોળાંને હિંસા માટે ઉશ્કેરનારા સંગઠનોના નેતાઓને વ્યક્તિગત રીતે ક્રિમિનલ કેસનો સામનો કરવો પડશે. તેમણે હિંસાનો ભોગ બનેલા પીડિતોને વળતરની ચુકવણી પણ કરવી પડશે. નિવૃત્ત થયેલા ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની બેન્ચે ફિલ્મો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને કલાની સ્વતંત્રતાની વિરુદ્ધમાં દેખાવોના નામે જાહેર અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે ટોળાંને ઉશ્કેરનાર સંગઠનોના નેતાઓ પર ગુનાઇત જવાબદારી લાદવાનો આદેશ આપ્યો છે. બેન્ચે જણાવ્યું હતું કે, ટોળાં દ્વારા થતી હિંસા અને થતાં નુકસાનની ભરપાઇ કરવા માટે કરદાતા પર બોજો નાખી શકાય નહીં.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ