સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચૂકાદામાં એવું ઠરાવ્યું છે કે, બરખાસ્ત થયેલ કર્મચારીની ફરી નિમણૂક થાય તો તે પાછલા વેતન પર દાવો કરવાનો તેને કોઈ અધિકાર નથી. રાજસ્થાન હાઈકોર્ટે પરિવહનના કર્મચારીને પાછલા વેતન 13 વર્ષની બાકી રકમ ચુકવવાનો આદેશ કર્યો હતો. જેના કારણે રાજસ્થાન સરકાર દ્વારા આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો. સુપ્રીમની બેન્ચે હાઈકોર્ટના હુકમને રદકર્યો હતો.