2010માં લાગુ થયેલા શિક્ષણ મેળવવાના અધિકાર હેઠળ પ્રાથમિક શાળાના જે શિક્ષકોએ લઘુત્તમ લાયકાત હજુ સુધી હાંસલ કરી નથી તેમણે હવે 2019 સુધીમાં આ લાયકાત મેળવવી પડશે. માનવ સંસાધન મત્રાલયે આ અંગેના સુધારા માટેનું બિલ સોમવારે લોકસભામાં રજૂ કર્યું હતું. પૂરતી લાયકાત નહીં ધરાવતા શિક્ષકોની સંખ્યા 7.72 લાખ આંકવામાં આવે છે.