પાકિસ્તાની આતંકવાદીને છોડાવવા માટે જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના શ્રીમહારાજા હરિ સિંહ હોસ્પિટલની અંદર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. તેઓ પાકિસ્તાની આતંકવાદી નાવીદને સુરક્ષા એજન્સીઓની નજર સામે છોડાવી ગયા હતા. પાકિસ્તાની આતંકવાદી નાવીદને છોડાવવા માટે પહોંચેલા આતંકવાદીઓ અને પોલીસની વચ્ચે ગોળીબાર થયો છે. આ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા છે. તેમાંથી એકની સ્થિતિ ગંભીર છે.