ગુજરાતમાં 26 બેઠક પર મતદાન થયા પછી ગુજરાતના કોંગ્રેસના નેતા રાજસ્થાનમાં ચુંટણી પ્રચાર કરવા ગયા છે. સરહદી વિસ્તારમાં આવતી લોકસભા બેઠકો પર ચુંટણી પ્રચાર કરી રહ્યા છે. બનાસકાંઠાના કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યો રાજસ્થાનમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જાલોર સિરોહી લોકસભા બેઠક પર ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ ચુંટણી પ્રચાર કરી રહ્યા છે. જોધપુર લોકસભા બેઠક પર મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત ચુંટણી લડી રહ્યા છે તેઓના પ્રચાર માટે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ ગયા છે. તેઓની સાથે રાજસ્થાન સરકારના કેબીનેટ મંત્રી ઉદયલાલ આંજણા સહિત આગેવાનો જોડાયા છે.
ગુજરાતમાં 26 બેઠક પર મતદાન થયા પછી ગુજરાતના કોંગ્રેસના નેતા રાજસ્થાનમાં ચુંટણી પ્રચાર કરવા ગયા છે. સરહદી વિસ્તારમાં આવતી લોકસભા બેઠકો પર ચુંટણી પ્રચાર કરી રહ્યા છે. બનાસકાંઠાના કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યો રાજસ્થાનમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જાલોર સિરોહી લોકસભા બેઠક પર ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ ચુંટણી પ્રચાર કરી રહ્યા છે. જોધપુર લોકસભા બેઠક પર મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત ચુંટણી લડી રહ્યા છે તેઓના પ્રચાર માટે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ ગયા છે. તેઓની સાથે રાજસ્થાન સરકારના કેબીનેટ મંત્રી ઉદયલાલ આંજણા સહિત આગેવાનો જોડાયા છે.