દેશની ટીકા કરવી કે કોઈપણ સ્વરૂપે આલોચના કરવી તેને દેશદ્રોહ ગણી શકાય નહીં તેવો મત કાયદા પંચે વ્યક્ત કર્યો છે. પંચે નોંધ્યું હતું કે ભારતમાં વર્ષો સુધી શાસન કરનાર બ્રિટન દ્વારા આઈપીસીમાં દેશદ્રોહની કલમ ઉમેરવામાં આવી હતી પણ તેણે છેલ્લાં ૧૦ વર્ષથી તેના દેશમાં આ કલમ રદ કરી છે. બ્રિટને આઈપીસીમાં કલમ ૧૨૪-એને ઉમેરીને દેશદ્રોહને સજા અને ગુનાપાત્ર બનાવ્યો હતો. પંચે હવે તેની પુનઃવિચારણા કરવા કહ્યું હતું. પંચે કહ્યું હતું કે દેશની આલોચના કરવી કે અપશબ્દો બોલવા કે કોઈ અન્ય રીતે ટીકા કરવી તેને દેશદ્રોહ ગણી શકાય નહીં, જ્યારે હિંસા દ્વારા કે અન્ય ગેરકાનૂની રીતે સરકારને સત્તા પરથી ફેંકી દેવાનું કાવતરું ઘડાયું હોય ત્યારે જ દેશદ્રોહનો આરોપ લગાવી શકાય છે.
દેશની ટીકા કરવી કે કોઈપણ સ્વરૂપે આલોચના કરવી તેને દેશદ્રોહ ગણી શકાય નહીં તેવો મત કાયદા પંચે વ્યક્ત કર્યો છે. પંચે નોંધ્યું હતું કે ભારતમાં વર્ષો સુધી શાસન કરનાર બ્રિટન દ્વારા આઈપીસીમાં દેશદ્રોહની કલમ ઉમેરવામાં આવી હતી પણ તેણે છેલ્લાં ૧૦ વર્ષથી તેના દેશમાં આ કલમ રદ કરી છે. બ્રિટને આઈપીસીમાં કલમ ૧૨૪-એને ઉમેરીને દેશદ્રોહને સજા અને ગુનાપાત્ર બનાવ્યો હતો. પંચે હવે તેની પુનઃવિચારણા કરવા કહ્યું હતું. પંચે કહ્યું હતું કે દેશની આલોચના કરવી કે અપશબ્દો બોલવા કે કોઈ અન્ય રીતે ટીકા કરવી તેને દેશદ્રોહ ગણી શકાય નહીં, જ્યારે હિંસા દ્વારા કે અન્ય ગેરકાનૂની રીતે સરકારને સત્તા પરથી ફેંકી દેવાનું કાવતરું ઘડાયું હોય ત્યારે જ દેશદ્રોહનો આરોપ લગાવી શકાય છે.