દેશની ખાડે ગયેલી બેન્કિંગ સિસ્ટમને વ્યવસ્થિત કરવા અને કૌભાંડોની હારમાળાથી બેન્કિંગ સેક્ટરને ઉગારવા માટે કેન્દ્ર સરકારે દેશની ટોચની ત્રણ સરકારી બેન્કોનું મર્જર કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રનાં નાણાપ્રધાન અરુણ જેટલીએ આ અંગે કહ્યું હતું કે, બેન્ક ઓફ બરોડા, વિજયા બેન્ક અને દેના બેન્કનું મર્જર કરવામાં આવશે અને તેના વિલીનીકરણ દ્વારા દેશની સૌથી મોટી ત્રીજી બેન્ક બનાવવામાં આવશે. આને કારણે બેન્કો વધુ મજબૂત થશે અને લોન આપવાની ધિરાણ ક્ષમતામાં વધારો થશે. નવી મર્જ થયેલી બેન્કનો કુલ બિઝનેસ રૂ. ૧૪.૮૨ ટ્રિલિયનથી વધારે હશે.
દેશની ખાડે ગયેલી બેન્કિંગ સિસ્ટમને વ્યવસ્થિત કરવા અને કૌભાંડોની હારમાળાથી બેન્કિંગ સેક્ટરને ઉગારવા માટે કેન્દ્ર સરકારે દેશની ટોચની ત્રણ સરકારી બેન્કોનું મર્જર કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રનાં નાણાપ્રધાન અરુણ જેટલીએ આ અંગે કહ્યું હતું કે, બેન્ક ઓફ બરોડા, વિજયા બેન્ક અને દેના બેન્કનું મર્જર કરવામાં આવશે અને તેના વિલીનીકરણ દ્વારા દેશની સૌથી મોટી ત્રીજી બેન્ક બનાવવામાં આવશે. આને કારણે બેન્કો વધુ મજબૂત થશે અને લોન આપવાની ધિરાણ ક્ષમતામાં વધારો થશે. નવી મર્જ થયેલી બેન્કનો કુલ બિઝનેસ રૂ. ૧૪.૮૨ ટ્રિલિયનથી વધારે હશે.