યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ)એ જણાવ્યું હતું કે, જે બાળકો પાસે આધારકાર્ડ ન હોય તો શાળાઓ તેમને એડમિશન આપવાનો ઇનકાર કરી શકે નહીં. શિક્ષણ બાળકોનો મૂળભૂત અધિકાર છે, તેના માટે કોઈપણ શાળા માત્ર આધારકાર્ડ ન હોવાનું કારણ રજૂ કરીને તેને એડમિશન માટે ના પાડી શકશે નહીં, આવું કરવું ગેરકાયદે ગણવામાં આવશે. તમામ રાજ્યોના સચિવોને એક પરિપત્ર જારીને આ મુદ્દે આદેશ આપવામાં આવ્યો છે. તમામ શાળાઓને આદેશ આપવામાં આવ્યો છે કે, પોતાના વિદ્યાર્થીઓ માટે શાળામાં જ આધારકાર્ડ બનાવવાની અથવા તો તેમાં સુધારો કરવાની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ)એ જણાવ્યું હતું કે, જે બાળકો પાસે આધારકાર્ડ ન હોય તો શાળાઓ તેમને એડમિશન આપવાનો ઇનકાર કરી શકે નહીં. શિક્ષણ બાળકોનો મૂળભૂત અધિકાર છે, તેના માટે કોઈપણ શાળા માત્ર આધારકાર્ડ ન હોવાનું કારણ રજૂ કરીને તેને એડમિશન માટે ના પાડી શકશે નહીં, આવું કરવું ગેરકાયદે ગણવામાં આવશે. તમામ રાજ્યોના સચિવોને એક પરિપત્ર જારીને આ મુદ્દે આદેશ આપવામાં આવ્યો છે. તમામ શાળાઓને આદેશ આપવામાં આવ્યો છે કે, પોતાના વિદ્યાર્થીઓ માટે શાળામાં જ આધારકાર્ડ બનાવવાની અથવા તો તેમાં સુધારો કરવાની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.