પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. ૧૩,૫૦૦ કરોડનું કૌભાંડ આચરીને વિદેશ ભાગી ગયેલા નીરવ મોદીને લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટ દ્વારા જામીન આપવા ઇનકાર કરાયો હતો. શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નીરવ મોદી કોર્ટમાં હાજર રહ્યો હતો. કોર્ટે તેમની પોલીસ કસ્ટડી ૨૪મી મે સુધી લંબાવી હતી. આ અગાઉ ૨૯ માર્ચે કોર્ટે નીરવ મોદીની જામીન અરજી ફગાવી હતી. હવે ૨૪મી મેનાં રોજ વેસ્ટમિંસ્ટર કોર્ટનાં જજ એમ્મા અર્બથનોટ ફરી અરજીની સુનાવણી કરશે. આમ ભારતમાં ચૂંટણીનાં પરિણામો આવશે ત્યાં સુધી નીરવ મોદી જેલમાં જ રહેશે.
પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. ૧૩,૫૦૦ કરોડનું કૌભાંડ આચરીને વિદેશ ભાગી ગયેલા નીરવ મોદીને લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટ દ્વારા જામીન આપવા ઇનકાર કરાયો હતો. શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નીરવ મોદી કોર્ટમાં હાજર રહ્યો હતો. કોર્ટે તેમની પોલીસ કસ્ટડી ૨૪મી મે સુધી લંબાવી હતી. આ અગાઉ ૨૯ માર્ચે કોર્ટે નીરવ મોદીની જામીન અરજી ફગાવી હતી. હવે ૨૪મી મેનાં રોજ વેસ્ટમિંસ્ટર કોર્ટનાં જજ એમ્મા અર્બથનોટ ફરી અરજીની સુનાવણી કરશે. આમ ભારતમાં ચૂંટણીનાં પરિણામો આવશે ત્યાં સુધી નીરવ મોદી જેલમાં જ રહેશે.