પીએમ મોદીએ મંગળવારે ચૂંટણી સભાને સંબોધતા આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવ અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે, જે લોકો જેલમાં છે, જામીન પર છે કે જેલનાં દરવાજા પર છે અને જેઓ જામીન મેળવવા કોર્ટનાં ચક્કર કાપી રહ્યા છે તેઓ કેન્દ્રમાં એક મિનિટ પણ મજબૂત સરકાર ઇચ્છતા નથી તેમને કેન્દ્રમાં નબળી સરકાર જ જોઈએ છે. તેઓ ગમે તેટલા ધમપછાડા કરે પણ કાળું નાણું અને ભ્રષ્ટાચાર સામે અમે હાથ ધરેલું અભિયાન કોઈપણ સંજોગોમાં ધીમું પડશે નહીં. જેમણે શોપિંગ મોલ ઊભા કર્યા છે અને ફાર્મહાઉસ બનાવ્યા છે તેમણે ગરીબોની લૂંટેલી પાઈએ પાઈનો હિસાબ ચૂકવવો પડશે. જેમણે બિહારની મહાન ભૂમિની ઓળખ બદલી છે તેઓ પોતાની તાકાત વધારવા છટપટી રહ્યા છે. મોદીએ કહ્યું કે, જેઓ જામીન પર છે તેમને જેલમાં મોકલીને રહીશ.
પીએમ મોદીએ મંગળવારે ચૂંટણી સભાને સંબોધતા આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવ અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે, જે લોકો જેલમાં છે, જામીન પર છે કે જેલનાં દરવાજા પર છે અને જેઓ જામીન મેળવવા કોર્ટનાં ચક્કર કાપી રહ્યા છે તેઓ કેન્દ્રમાં એક મિનિટ પણ મજબૂત સરકાર ઇચ્છતા નથી તેમને કેન્દ્રમાં નબળી સરકાર જ જોઈએ છે. તેઓ ગમે તેટલા ધમપછાડા કરે પણ કાળું નાણું અને ભ્રષ્ટાચાર સામે અમે હાથ ધરેલું અભિયાન કોઈપણ સંજોગોમાં ધીમું પડશે નહીં. જેમણે શોપિંગ મોલ ઊભા કર્યા છે અને ફાર્મહાઉસ બનાવ્યા છે તેમણે ગરીબોની લૂંટેલી પાઈએ પાઈનો હિસાબ ચૂકવવો પડશે. જેમણે બિહારની મહાન ભૂમિની ઓળખ બદલી છે તેઓ પોતાની તાકાત વધારવા છટપટી રહ્યા છે. મોદીએ કહ્યું કે, જેઓ જામીન પર છે તેમને જેલમાં મોકલીને રહીશ.