ગુજરાતમાં ઉત્તર ભારતીયો અને પરપ્રાંતીઓ પર થઈ રહેલા હુમલા અંગે દેશનું રાજકારણ ગરમાયું છે. બસપાના સુપ્રીમો માયાવતીએ અંગે કહ્યું હતું કે જેમણે મોદીને બનારસમાં જીતાડયા તેમના પર ભાજપનાં ગુજરાતમાં જ હુમલા થઈ રહ્યા છે. આ દુઃખદ છે. બીજી તરફ યુપીમાં ભાજપ સરકારનાં સહયોગી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી એ પણ આ મુદ્દે ગુસ્સો દર્શાવીને ગુજરાતની રૂપાણી સરકારનું રાજીનામું માગ્યું છે. પૂર્વાંચલમાં SBSPનો દબદબો છે. અહીંનાં મોટાભાગના રહીશો ગુજરાતમાં રોજગારી મેળવી રહ્યા છે.
ગુજરાતમાં ઉત્તર ભારતીયો અને પરપ્રાંતીઓ પર થઈ રહેલા હુમલા અંગે દેશનું રાજકારણ ગરમાયું છે. બસપાના સુપ્રીમો માયાવતીએ અંગે કહ્યું હતું કે જેમણે મોદીને બનારસમાં જીતાડયા તેમના પર ભાજપનાં ગુજરાતમાં જ હુમલા થઈ રહ્યા છે. આ દુઃખદ છે. બીજી તરફ યુપીમાં ભાજપ સરકારનાં સહયોગી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી એ પણ આ મુદ્દે ગુસ્સો દર્શાવીને ગુજરાતની રૂપાણી સરકારનું રાજીનામું માગ્યું છે. પૂર્વાંચલમાં SBSPનો દબદબો છે. અહીંનાં મોટાભાગના રહીશો ગુજરાતમાં રોજગારી મેળવી રહ્યા છે.