લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં હોટસ્પોટ બનેલી વારાણસીની બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર તરીકે પીએમ મોદીએ ગુરૂવારે ૭ કિ.મી. લાંબો રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. મોદીનાં મેગા રોડ શોમાં હજારોની સંખ્યામાં અભૂતપૂર્વ માનવમહેરામણ ઊમટયું હતું. મોદીએ બનારસ યુનિવર્સિટીનાં સ્થાપક પંડિત મદનમોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રોડ શોનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે મોદીએ બોલાવેલા ”મા ગંગાને બુલાયા હૈ… હર હર મહાદેવ…. જયશ્રી રામ”નાં નાદ સાથે વારાણસીની ગલીઓ ગુંજી ઊઠી હતી. ભોળાનાથની નગરીમાં જ્યાં જુઓ ત્યાં લોકોનાં હોઠ પર એક જ નામ નમો…. નમો…. અને હર હર મોદી…ઘર ઘર મોદી…..ગુંજતું હતું. બનારસ હિંદુ યુનિ.નાં ગેટથી દશાશ્વમેઘ ઘાટનાં મેગા રોડ શોનાં રૂટ પર જ્યાં જુઓ ત્યાં કેસરિયો લહેરાયો હતો. મોદીને નિહાળવા અને ટેકો આપવા વારાણસીમાં હજારોની સંખ્યામાં માનવમહેરામણ ઊમટયું હતું. પોતાનાં લોકપ્રિય ઉમેદવારને આવકારવા હજારો લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળતો હતો અને થનગનાટ સાથે મોદીને લોકોએ આવકાર્યા હતા. વારાણસીને ભાજપનાં ઉત્સાહી કાર્યકરો અને રહીશો દ્વારા નવીનવેલી દુલ્હનની જેમ શણગારાયું હતું. વારાણસીની ગલીઓમાં અને ચોરેચૌટે ભાજપનો કેસરિયો અને ધજાપતાકા લહેરાવાઈ હતી. મોદીનું હજારો કાર્યકરો દ્વારા ૧૦૧ સ્થળે ફૂલહારથી સ્વાગત કરાયું હતું.
લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં હોટસ્પોટ બનેલી વારાણસીની બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર તરીકે પીએમ મોદીએ ગુરૂવારે ૭ કિ.મી. લાંબો રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. મોદીનાં મેગા રોડ શોમાં હજારોની સંખ્યામાં અભૂતપૂર્વ માનવમહેરામણ ઊમટયું હતું. મોદીએ બનારસ યુનિવર્સિટીનાં સ્થાપક પંડિત મદનમોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રોડ શોનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે મોદીએ બોલાવેલા ”મા ગંગાને બુલાયા હૈ… હર હર મહાદેવ…. જયશ્રી રામ”નાં નાદ સાથે વારાણસીની ગલીઓ ગુંજી ઊઠી હતી. ભોળાનાથની નગરીમાં જ્યાં જુઓ ત્યાં લોકોનાં હોઠ પર એક જ નામ નમો…. નમો…. અને હર હર મોદી…ઘર ઘર મોદી…..ગુંજતું હતું. બનારસ હિંદુ યુનિ.નાં ગેટથી દશાશ્વમેઘ ઘાટનાં મેગા રોડ શોનાં રૂટ પર જ્યાં જુઓ ત્યાં કેસરિયો લહેરાયો હતો. મોદીને નિહાળવા અને ટેકો આપવા વારાણસીમાં હજારોની સંખ્યામાં માનવમહેરામણ ઊમટયું હતું. પોતાનાં લોકપ્રિય ઉમેદવારને આવકારવા હજારો લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળતો હતો અને થનગનાટ સાથે મોદીને લોકોએ આવકાર્યા હતા. વારાણસીને ભાજપનાં ઉત્સાહી કાર્યકરો અને રહીશો દ્વારા નવીનવેલી દુલ્હનની જેમ શણગારાયું હતું. વારાણસીની ગલીઓમાં અને ચોરેચૌટે ભાજપનો કેસરિયો અને ધજાપતાકા લહેરાવાઈ હતી. મોદીનું હજારો કાર્યકરો દ્વારા ૧૦૧ સ્થળે ફૂલહારથી સ્વાગત કરાયું હતું.