Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજસ્થાન હાઇવે પર આદિવાસી આંદોલન હિંસક બન્યું હતું. અનેક વાહનો સળગાવવામાં આવ્યા હતા. ગુજરાત તરફના આદિવાસી સંગઠનો દ્વારા પણ આ આંદોલનને સમર્થન આપવામાં આવ્યું હતું. જેના કારણે ગુજરાતમાં પણ આ આંદોલનની આંચ ન પહોંચે તે માટે ગુજરાત સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે શામળાજી હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો. હાઇવે પર બેરિકેડિંગ કરીને હાઇવે બંધ કરવામાં આવતા સમગ્ર હાઇવે પર કિલોમીટરો લાંબી વાહનોની લાઇનો લાગી હતી. 
શિક્ષક ભરતી આંદોલન મુદ્દે રાજસ્થાન સરકાર સુપ્રીમકોર્ટમાં જશે. ડુંગરપુર પાસે કાંકરીડુંગર પાસે ધરણા સમાપ્ત થયાની જાહેરાત થઇ હતી. જેના પગલે ગુજરાત તરફનો રસ્તો ખોલવામાં આવ્યો હતો. ડુંગરપુર પાસે કાંગરી ડુંગરી પાસે ધરણા સમાપ્ત થયા હતા. ખેરવાડામાં યોજાયેલી સંયુક્ત બેઠક જેમાં કોર્ટમાં જવાના મુદ્દે તમામ પક્ષોમાં સંમતી સધાઇ હતી. સીએમ ગેહલોતના નિર્દેશના આધારે શરતી સમાધાન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સામાજિક, રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. 

રાજસ્થાન હાઇવે પર આદિવાસી આંદોલન હિંસક બન્યું હતું. અનેક વાહનો સળગાવવામાં આવ્યા હતા. ગુજરાત તરફના આદિવાસી સંગઠનો દ્વારા પણ આ આંદોલનને સમર્થન આપવામાં આવ્યું હતું. જેના કારણે ગુજરાતમાં પણ આ આંદોલનની આંચ ન પહોંચે તે માટે ગુજરાત સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે શામળાજી હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો. હાઇવે પર બેરિકેડિંગ કરીને હાઇવે બંધ કરવામાં આવતા સમગ્ર હાઇવે પર કિલોમીટરો લાંબી વાહનોની લાઇનો લાગી હતી. 
શિક્ષક ભરતી આંદોલન મુદ્દે રાજસ્થાન સરકાર સુપ્રીમકોર્ટમાં જશે. ડુંગરપુર પાસે કાંકરીડુંગર પાસે ધરણા સમાપ્ત થયાની જાહેરાત થઇ હતી. જેના પગલે ગુજરાત તરફનો રસ્તો ખોલવામાં આવ્યો હતો. ડુંગરપુર પાસે કાંગરી ડુંગરી પાસે ધરણા સમાપ્ત થયા હતા. ખેરવાડામાં યોજાયેલી સંયુક્ત બેઠક જેમાં કોર્ટમાં જવાના મુદ્દે તમામ પક્ષોમાં સંમતી સધાઇ હતી. સીએમ ગેહલોતના નિર્દેશના આધારે શરતી સમાધાન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સામાજિક, રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ