પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આવેલા નાદિર ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલું એન્કાઉન્ટર ખૂબ જ તીવ્ર બન્યું હોવાનું સામે આવી રહ્યું છે. સુરક્ષા દળોને આ વિસ્તારમાં 2થી 3 આતંકવાદીઓ હોવાની જાણ થઇ હતી. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, સુરક્ષા દળોએ આ વિસ્તારમાં છુપાયેલા 3 આતંકીવાદીને ઠાર કર્યા છે. છેલ્લા 48 કલાકમાં સેનાએ 6 આતંકીઓનો ખાત્મો કર્યો છે. આ ઓપરેશનમાં સુરક્ષા દળોની સંયુક્ત ટીમ, જેમાં પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓનો સમાવેશ થાય છે, સક્રિય રીતે ભાગ લઈ રહી છે. આ ઓપરેશનનો હેતુ આતંકવાદીઓને નિષ્ક્રિય કરવાનો છે, જેથી આ વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા સ્થાપિત થઈ શકે.