Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ મધ્યપ્રદેશના આદિવાસી બાબતોના મંત્રી વિજય શાહ વિરુદ્ધ બુધવારે રાત્રે 11 વાગ્યે મહૂના માનપુર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ઇન્દોરથી લગભગ 30 કિમી દૂર મહુમાં એક કાર્યક્રમ દરમિયાન મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી.
સોફિયા કુરેશી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, કર્નલ સોફિયા કુરેશીના નેતૃત્વમાં સેનાએ જે રીતે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરી, મંત્રી વિજય શાહે સ્ટેજ પરથી કર્નલ સોફિયા કુરેશીનું નામ લીધા વિના તેમને આતંકવાદીઓની બહેન કહી હતી. મંત્રી વિજય શાહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ભાજપ સંગઠને આ સમગ્ર મામલે તેમની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ