બંગાળની ખાડીમાં હવાના હળવા દબાણમાંથી પ્રચંડ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી ચૂકેલો ચક્રવાત ફની શુક્રવારે ઓરિસ્સાના દરિયાકિનારાના ગોપાલપુર અને ચાંદબાલી વચ્ચે ગમે ત્યારે ટકરાય તેવી આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે. ઓરિસ્સા સરકારે પ્રચંડ વાવાઝોડા સામે બાથ ભીડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્ય સરકારે ગુરૂવાર સાંજ સુધીમાં દરિયાકિનારાના જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા ૧૧ લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડયા હતા. સૂત્રોના મતે બાવન શહેરો અને દસ હજાર ગામડાઓને વાવાઝોડાને પગલે અસર હોવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
બંગાળની ખાડીમાં હવાના હળવા દબાણમાંથી પ્રચંડ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી ચૂકેલો ચક્રવાત ફની શુક્રવારે ઓરિસ્સાના દરિયાકિનારાના ગોપાલપુર અને ચાંદબાલી વચ્ચે ગમે ત્યારે ટકરાય તેવી આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે. ઓરિસ્સા સરકારે પ્રચંડ વાવાઝોડા સામે બાથ ભીડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્ય સરકારે ગુરૂવાર સાંજ સુધીમાં દરિયાકિનારાના જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા ૧૧ લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડયા હતા. સૂત્રોના મતે બાવન શહેરો અને દસ હજાર ગામડાઓને વાવાઝોડાને પગલે અસર હોવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.