વેપારધંધાનાં કામે દિલ્હી આવેલા ગુજરાતના બે વેપારીનું હરિયાણાના રેવાડી નજીકથી અપહરણ કરીને તેમની પાસેથી રૂપિયા ચાર કરોડ લૂંટી લેવામાં આવ્યા છે. બદમાશો રાતભર વેપારીઓને કારમાં બંધક બનાવીને ત્રણ શહેરોના મુખ્ય હાઇવે પર ફરતા રહ્યા હતા. કલાકો સુધી કારમાં બંધક બનાવીને ફેરવ્યા પછી બદમાશોએ તેમને ખેતરમાં બાંધીને ફેંકી દીધા હતા. શુક્રવારે સવારે લોકોની મદદથી વેપારી બંધનમુક્ત થઈ શકતાં રેવાડી પોલીસને જાણ કરવામાં આવી હતી. રેવાડીના ધારૂહેડા પોલીસમથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
વેપારધંધાનાં કામે દિલ્હી આવેલા ગુજરાતના બે વેપારીનું હરિયાણાના રેવાડી નજીકથી અપહરણ કરીને તેમની પાસેથી રૂપિયા ચાર કરોડ લૂંટી લેવામાં આવ્યા છે. બદમાશો રાતભર વેપારીઓને કારમાં બંધક બનાવીને ત્રણ શહેરોના મુખ્ય હાઇવે પર ફરતા રહ્યા હતા. કલાકો સુધી કારમાં બંધક બનાવીને ફેરવ્યા પછી બદમાશોએ તેમને ખેતરમાં બાંધીને ફેંકી દીધા હતા. શુક્રવારે સવારે લોકોની મદદથી વેપારી બંધનમુક્ત થઈ શકતાં રેવાડી પોલીસને જાણ કરવામાં આવી હતી. રેવાડીના ધારૂહેડા પોલીસમથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.