આરએસએસના સુપ્રીમો મોહન ભાગવતે રામ મંદિર બનવુ જોઈએ તેવી ઈચ્છા જાહેર કરી પછી વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવી છે. વીએચપીએ રામ મંદિર માટે 5 ઓક્ટોબરે દિલ્હીમાં સંતોની એક બેઠક બોલાવી છે. જેમાં જેમાં રામ મંદિર અંગે મોટી જાહેરાત થવાની સંભાવના છે. મંદિર માટે કાર સેવાની જાહેરાત પણ થઈ શકે છે. આ બેઠક દિલ્હીના વીએચપી કાર્યાલયમાં યોજાશે.