ભારતમાં પોતાની એરલાઈન્સ કિંગફિશરને તાળા મારીને ભારતની બેન્કોને રૂ.9,000 કરોડનો ચૂનો લગાવનાર વિજય માલ્યાનું ભારતમાં પ્રત્યાર્પણ કરવા બ્રિટન કરકારે મંજૂરી આપી છે, હવે માલ્યાને વોરંટ બજાવવાનો નિર્ણય બ્રિટનની વેસ્ટમિન્સ્ટર કોર્ટના જજ દ્રારા લેવામાં આવશે. બ્રિટન સરકારે ભારતની માલ્યાનું પ્રત્યાર્પણ કરવાની માગણી વેસ્ટમિન્સ્ટર કોર્ટને મોકલી આપી છે.