ફિલ્મ પદ્માવતના વિરોધ માટે દેશભરમાં રાજપુત સમાજ અને અન્ય સંગઠનો રસ્ત પર ઉતરી આવ્યા છે. અનેક રાજ્યોમાં હિંસા અને આગજનીના અનેક બનાવો સામે આવ્યા છે. ઠેર ઠેર વિરોધે ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું છે. વિરોધના આગની જ્વાલાઓ ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને હવે કાશ્મીર સુધી પહોંચી ગઇ છે. દરમિયાન ૨૫મી તારીખે પદ્માવત ફિલ્મ રીલીઝ થવાની હોવાથી કરણી સેનાએ દેશભરમાં બંધનું એલાન કર્યું છે. જેને પગલે અનેક રાજ્યોમાં ભારેલો અગ્ની જેવી સ્થિતિ છે ત્યારે ચાર રાજ્યો ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગોવામાં થીયેટરના માલિકોના અસોસિયેશને સામે ચાલીને ફિલ્મ રીલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે.
ફિલ્મ પદ્માવતના વિરોધ માટે દેશભરમાં રાજપુત સમાજ અને અન્ય સંગઠનો રસ્ત પર ઉતરી આવ્યા છે. અનેક રાજ્યોમાં હિંસા અને આગજનીના અનેક બનાવો સામે આવ્યા છે. ઠેર ઠેર વિરોધે ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું છે. વિરોધના આગની જ્વાલાઓ ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને હવે કાશ્મીર સુધી પહોંચી ગઇ છે. દરમિયાન ૨૫મી તારીખે પદ્માવત ફિલ્મ રીલીઝ થવાની હોવાથી કરણી સેનાએ દેશભરમાં બંધનું એલાન કર્યું છે. જેને પગલે અનેક રાજ્યોમાં ભારેલો અગ્ની જેવી સ્થિતિ છે ત્યારે ચાર રાજ્યો ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગોવામાં થીયેટરના માલિકોના અસોસિયેશને સામે ચાલીને ફિલ્મ રીલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે.