-
25 ઓગસ્ટના રોજ પાટીદાર સમાજ માટે અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગણીઓ લઇને આમરણ ઉપવાસ પર બેઠેલા પાસ સંગઠનના 24 વર્ષિય નેતા હાર્દિક પટેલે ઉપવાસના 19મા દિવસે જ પારણાં કરી નાંખ્યા છે. ખોડલધામના અગ્રણી નરેશ પટેલના કહેવાથી હોસ્પિટલમાં દાખલ થઇને ફરીથી ઉપવાસ ચાલુ રાખનાર હાર્દિકે તેમના જ હસ્તે પારણાં કર્યા હતા. ગ્રીનવુડ છાવણી ખાતે આજે 12મીએ બપોરે 3 વાગે નરેશ પટેલ પહોંચ્યા હતા. અને જય સરદાર...ના નારા વચ્ચે પારણાં કરાવ્યાં હતા. સરકારે તેમની એકપણ માંગણી સ્વીકારી નથી, કોઇ ખાતરી આપી નથી. તેમ છતાં સમાજના આગેવાનોનું માન રાખીને તેમણે પારણાં કરી પોતાની લડાઇ ચાલુ રાખવાની જાહેરાત પણ કરી હતી. પારણાં બાદ ઉપવાસી સ્થળેથી પોલીસ બંદોબસ્ત ઉઠાવી લેવાયો હતો.
-
25 ઓગસ્ટના રોજ પાટીદાર સમાજ માટે અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગણીઓ લઇને આમરણ ઉપવાસ પર બેઠેલા પાસ સંગઠનના 24 વર્ષિય નેતા હાર્દિક પટેલે ઉપવાસના 19મા દિવસે જ પારણાં કરી નાંખ્યા છે. ખોડલધામના અગ્રણી નરેશ પટેલના કહેવાથી હોસ્પિટલમાં દાખલ થઇને ફરીથી ઉપવાસ ચાલુ રાખનાર હાર્દિકે તેમના જ હસ્તે પારણાં કર્યા હતા. ગ્રીનવુડ છાવણી ખાતે આજે 12મીએ બપોરે 3 વાગે નરેશ પટેલ પહોંચ્યા હતા. અને જય સરદાર...ના નારા વચ્ચે પારણાં કરાવ્યાં હતા. સરકારે તેમની એકપણ માંગણી સ્વીકારી નથી, કોઇ ખાતરી આપી નથી. તેમ છતાં સમાજના આગેવાનોનું માન રાખીને તેમણે પારણાં કરી પોતાની લડાઇ ચાલુ રાખવાની જાહેરાત પણ કરી હતી. પારણાં બાદ ઉપવાસી સ્થળેથી પોલીસ બંદોબસ્ત ઉઠાવી લેવાયો હતો.