'ચકીબેન ચકીબેન મારે ઘેર રમવા આવશો કે નહીં, આવશો કે નહીં...?', આ ખૂબ જ લોકપ્રિય બાળગીત-વાર્તા આગામી સમયમાં દંતકથા જ બનીને રહી જાય તેવી પૂરી દહેશત છે. આ માટેનું કારણ એ છે કે ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણના ભોગે માનવીની અમર્યાદ જરૃરિયાતને લીધે ચકલી જ લુપ્ત થવાને આરે છે. ગુજરાતમાં જ હવે માંડ ૧૦ ટકા ચકલીનું અસ્તિત્વ બાકી રહ્યું છે. ૨૦ માર્ચે 'વર્લ્ડ સ્પેરો ડે'ની ઉજવણી કરવામાં આવશે ત્યારે ચકલીઓની ઘટતી જતી વસતિ એ ખૂબ જ ચિંતાનો વિષય છે.
'ચકીબેન ચકીબેન મારે ઘેર રમવા આવશો કે નહીં, આવશો કે નહીં...?', આ ખૂબ જ લોકપ્રિય બાળગીત-વાર્તા આગામી સમયમાં દંતકથા જ બનીને રહી જાય તેવી પૂરી દહેશત છે. આ માટેનું કારણ એ છે કે ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણના ભોગે માનવીની અમર્યાદ જરૃરિયાતને લીધે ચકલી જ લુપ્ત થવાને આરે છે. ગુજરાતમાં જ હવે માંડ ૧૦ ટકા ચકલીનું અસ્તિત્વ બાકી રહ્યું છે. ૨૦ માર્ચે 'વર્લ્ડ સ્પેરો ડે'ની ઉજવણી કરવામાં આવશે ત્યારે ચકલીઓની ઘટતી જતી વસતિ એ ખૂબ જ ચિંતાનો વિષય છે.