Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ  બે દિવસના પ્રવાસે શુક્રવારે ભારત પહોંચી ચૂક્યા છે. જિનપિંગનું ચેન્નઈ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. થોડીવારમાં તેમની પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી  તમિલનાડુના દરિયાકાંઠે આવેલા શહેર મહાબલીપુરમાં આયોજિત થનારા બીજી દ્વિપક્ષીય અનૌપચારિક શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. બંને નેતા આ પહેલા 14 વાર મળી ચૂક્યા છે. બંને નેતાઓની વચ્ચે આ બીજી અનૌપચારિક મુલાકાત હશે. આ પહેલા વર્ષ 2018માં પીએમ મોદીએ વુહાનમાં ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી.

મહાબલીપુરમાં પીએમ મોદી અને શી જિનપિંગનો શું કાર્યક્રમ રહેશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે પોતાની મિત્રતાને વધુ આગળ લઈ જવા માટે સૌથી પહેલા અર્જુન પેનેંસ જશે. અર્જુન પેનેંસ વિશે કહેવાય છે કે, ત્યાં એક વિશાળ શિલાપટ્ટી છે, જેમાં અનેક પ્રકારની આકૃતિ બનાવવામાં આવી છે. આ સ્થળ વિશે માન્યતા છે કે આ તસવીરો ગંગાને ધરતી પર લાવવાની વાત વર્ણવામાં આવી છે. તેની સાથે કેટલાક લોકો એમ પણ માને છે કે ભગવાન શિવથી પશુપતાસ્ત્ન મેળવવા માટે અર્જુને અહીં એક વૃક્ષ પર ઊભા રહીને આકરી તપસ્યા કરી હતી.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ  બે દિવસના પ્રવાસે શુક્રવારે ભારત પહોંચી ચૂક્યા છે. જિનપિંગનું ચેન્નઈ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. થોડીવારમાં તેમની પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી  તમિલનાડુના દરિયાકાંઠે આવેલા શહેર મહાબલીપુરમાં આયોજિત થનારા બીજી દ્વિપક્ષીય અનૌપચારિક શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. બંને નેતા આ પહેલા 14 વાર મળી ચૂક્યા છે. બંને નેતાઓની વચ્ચે આ બીજી અનૌપચારિક મુલાકાત હશે. આ પહેલા વર્ષ 2018માં પીએમ મોદીએ વુહાનમાં ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી.

મહાબલીપુરમાં પીએમ મોદી અને શી જિનપિંગનો શું કાર્યક્રમ રહેશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે પોતાની મિત્રતાને વધુ આગળ લઈ જવા માટે સૌથી પહેલા અર્જુન પેનેંસ જશે. અર્જુન પેનેંસ વિશે કહેવાય છે કે, ત્યાં એક વિશાળ શિલાપટ્ટી છે, જેમાં અનેક પ્રકારની આકૃતિ બનાવવામાં આવી છે. આ સ્થળ વિશે માન્યતા છે કે આ તસવીરો ગંગાને ધરતી પર લાવવાની વાત વર્ણવામાં આવી છે. તેની સાથે કેટલાક લોકો એમ પણ માને છે કે ભગવાન શિવથી પશુપતાસ્ત્ન મેળવવા માટે અર્જુને અહીં એક વૃક્ષ પર ઊભા રહીને આકરી તપસ્યા કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ