મધ્યપ્રદેશના ઇન્દોરમાં ચાર માળની એક હોટલ ધરાશાયી થતાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોતનાં સમાચાર છે તો અનેક લોકો ઘાયલ થયાં છે. શનિવારની આ ઘટનામાં એવી પણ આશંકા વ્યક્ત કરાઇ રહી છે કે હજુ કેટલાંય લોકો કાટમાળની નીચે દટાયેલા હોઇ શકે છે. સરવાતા બસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ હોનારતમાં મૃતકોના પરિવારને બે લાખની સહાયની જાહેરાત કરાઈ છે.