Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

G-7 શિખર સંમેલનના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ, વેપાર અને વિકાસ જેવા મહત્ત્વના વૈશ્વિક મુદ્દા પર દુનિયાના પ્રમુખ નેતાઓ સાથે વાતચીત કરી. કેનેડાના કનાનાસ્કિસમાં આયોજિત G-7 આઉટરીચ સત્રને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ આતંકવાદ સામે ભારતની કડક નીતિનું પુનરાવર્તન કર્યું અને તેને વૈશ્વિક જોખમના રૂપે જોઈ એકજૂટ થઈ નિર્ણાયક કાર્યવાહીની માંગ કરી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે આપણા વિચાર અને નીતિ સ્પષ્ટ હોવી જોઈએ, જો કોઈ દેશ આતંકવાદનું સમર્થન કરે છે, તો તેને તેની કિંમત ચૂકવવી પડશે. આંતરરાષ્ટ્રીય સમુદાયની કાર્યવાહીમાં બેવડા માપદંડ ન હોવા જોઈએ. એકબાજુ અમે પોતાની પસંદ મુજબ વિવિધ પ્રકારના પ્રતિબંધ જલદી લગાવી દઇએ છીએ તો બીજીબાજુ જે દેશ જાહેરમાં આતંકવાદનું સમર્થન કરે છે, તેમને ઈનામ આપવામાં આવે છે. આ બેવડા માપદંડ બંધ થવા જોઈએ.'
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ