વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેના કેમ્પસમાં એક ક્રેન પડવાથી 11 લોકોના મોત થયા છે. ડીસીપી સુરેશ બાબુએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થયો છે. પોલીસ કમિશનર રાજીવ કુમાર મીણાએ કહ્યું છે કે, આ ઘટના આજે બપોરે 12 વાગે થઈ છે. ટ્રેડ યૂનિયન લીડરે કહ્યું કે, ક્રેન ઓવરલોડ હોવાના કારણે દુર્ઘટના થઈ હોવાની શક્યતા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ક્રેનનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. ઓફિસર અને ક્રેનના ઓપરેટર્સ તેનું ઓપરેટિંગ જોવા ગયા હતા તે જ સમયે દુર્ઘટના થઈ હતી. માનવામાં આવે છે કે, મૃતકોની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. કેમકે ક્રેન નીચે અમુક લોકો દબાયા હોવાની શક્યતા છે. શિપયાર્ડના ઓફિસર અટેન્ડેન્સ રેકોર્ડ ચેક કરી રહ્યા છે જેથી ઘટના સમયે ત્યાં કેટલા લોકો હશે તેની માહિતી મળી શકે.
વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેના કેમ્પસમાં એક ક્રેન પડવાથી 11 લોકોના મોત થયા છે. ડીસીપી સુરેશ બાબુએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થયો છે. પોલીસ કમિશનર રાજીવ કુમાર મીણાએ કહ્યું છે કે, આ ઘટના આજે બપોરે 12 વાગે થઈ છે. ટ્રેડ યૂનિયન લીડરે કહ્યું કે, ક્રેન ઓવરલોડ હોવાના કારણે દુર્ઘટના થઈ હોવાની શક્યતા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ક્રેનનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. ઓફિસર અને ક્રેનના ઓપરેટર્સ તેનું ઓપરેટિંગ જોવા ગયા હતા તે જ સમયે દુર્ઘટના થઈ હતી. માનવામાં આવે છે કે, મૃતકોની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. કેમકે ક્રેન નીચે અમુક લોકો દબાયા હોવાની શક્યતા છે. શિપયાર્ડના ઓફિસર અટેન્ડેન્સ રેકોર્ડ ચેક કરી રહ્યા છે જેથી ઘટના સમયે ત્યાં કેટલા લોકો હશે તેની માહિતી મળી શકે.