અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અત્યાર સુધી 119 DNA સેમ્પલ મેચ થયા છે..76 મૃતદેહ પરિવારજનોને સોંપી દેવાયા છે..11 પરિવારો એવા છે..જે તેમના અન્ય સ્વજનના DNA મેચિંગની રાહ જોઈ રહ્યા છે..પરિવારજનોને સાંત્વના આપવા અને સમજાવવા સાઇકિયાટ્રિસ્ટ રાખવામાં આવ્યા છે. જેઓ પરિવારનું કાઉન્સેલિંગ કરીને..સમગ્ર પ્રક્રિયા સમજાવે છે..આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે કહ્યું કે જે પરિવારોને ફોન નથી આવ્યા તેનો અર્થ એ છે કે તેમના સ્વજનના હજુ DNA મેચ થયા નથી..સાથે તેમણે કહ્યું કે પ્લેન ક્રેશની ઘટનામાં ભોગ બનેલા મેડિકલના વિદ્યાર્થીઓને જે પણ નુક્સાન થયું હશે તેનો પણ સર્વે કરાશે