જીએસટીનો એક જ સ્ટાન્ડર્ડ રેટ હોવો જોઈએ તેવી વ્યાપક માગની દિશામાં સરકાર કામ કરી રહી હોવાનો દાવો કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કર્યો છે. અરુણ જેટલીએ ફેસબુક પર મૂકેલી પોસ્ટ “જીએસટીના ૧૮ મહિના”માં જણાવ્યું હતું કે, ભારત સરકારની મહેસૂલી આવકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો હોવાથી ભારતમાં જીએસટીના શૂન્ય, પાંચ ટકા અને ૧૨-૧૮ ટકા વચ્ચેનો એક સ્ટાન્ડર્ડ રેટ એમ ૩ સ્લેબ હોઈ શકે છે, જોકે લક્ઝરી અને સીનગુડ્ઝને જીએસટીનાં હાયર બ્રેકેટમાં જારી રખાશે. જેટલીએ જણાવ્યું હતું કે, કુલ ૧,૨૧૪ કોમોડિટીમાંથી ૧૮૩ પર શૂન્ય ટકા, ૩૦૮ પર પાંચ ટકા, ૧૭૮ પર ૧૨ ટકા અને ૫૧૭ પર ૧૮ ટકા જીએસટી લાગુ પડે છે.
જીએસટીનો એક જ સ્ટાન્ડર્ડ રેટ હોવો જોઈએ તેવી વ્યાપક માગની દિશામાં સરકાર કામ કરી રહી હોવાનો દાવો કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કર્યો છે. અરુણ જેટલીએ ફેસબુક પર મૂકેલી પોસ્ટ “જીએસટીના ૧૮ મહિના”માં જણાવ્યું હતું કે, ભારત સરકારની મહેસૂલી આવકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો હોવાથી ભારતમાં જીએસટીના શૂન્ય, પાંચ ટકા અને ૧૨-૧૮ ટકા વચ્ચેનો એક સ્ટાન્ડર્ડ રેટ એમ ૩ સ્લેબ હોઈ શકે છે, જોકે લક્ઝરી અને સીનગુડ્ઝને જીએસટીનાં હાયર બ્રેકેટમાં જારી રખાશે. જેટલીએ જણાવ્યું હતું કે, કુલ ૧,૨૧૪ કોમોડિટીમાંથી ૧૮૩ પર શૂન્ય ટકા, ૩૦૮ પર પાંચ ટકા, ૧૭૮ પર ૧૨ ટકા અને ૫૧૭ પર ૧૮ ટકા જીએસટી લાગુ પડે છે.