જમ્મુ-કાશ્મીરના ૩ વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા હાથ ધરાયેલાં આતંકવાદ વિરોધી ઓપરેશનોમાં રવિવારે ૧૩ આતંકી ઠાર મરાયા હતા. સામસામી અથડામણોમાં સેનાના ૩ જવાન શહીદ થયા હતા, જ્યારે સુરક્ષાદળો અને સ્થાનિકો વચ્ચેની અથડામણોમાં ચાર નાગરિકનાં મોત થયાં હતાં અને ૫૦થી વધુને ઈજા પહોંચી હતી. સેના, પોલીસ અને સીઆરપીએફ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં જમ્મુ-કાશ્મીરના પોલીસવડા એસ. પી. વૈદ્યે જણાવ્યું હતું કે, કાશ્મીરખીણમાં સક્રિય એવાં આતંકવાદી સંગઠનો સામે હાથ ધરાયેલાં આ સૌથી મોટા ઓપરેશનો પૈકીનું એક હતું.
જમ્મુ-કાશ્મીરના ૩ વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા હાથ ધરાયેલાં આતંકવાદ વિરોધી ઓપરેશનોમાં રવિવારે ૧૩ આતંકી ઠાર મરાયા હતા. સામસામી અથડામણોમાં સેનાના ૩ જવાન શહીદ થયા હતા, જ્યારે સુરક્ષાદળો અને સ્થાનિકો વચ્ચેની અથડામણોમાં ચાર નાગરિકનાં મોત થયાં હતાં અને ૫૦થી વધુને ઈજા પહોંચી હતી. સેના, પોલીસ અને સીઆરપીએફ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં જમ્મુ-કાશ્મીરના પોલીસવડા એસ. પી. વૈદ્યે જણાવ્યું હતું કે, કાશ્મીરખીણમાં સક્રિય એવાં આતંકવાદી સંગઠનો સામે હાથ ધરાયેલાં આ સૌથી મોટા ઓપરેશનો પૈકીનું એક હતું.