દેશમાં ચોમાસાના આગમનના સંકેત રૃપે આજે કેરળમાં નૈઋત્યનું ચોમાસું બેસે તેવા સકારાત્મક સંજોગો પેદા થવાનું ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે જણાવ્યું હતું. ભારતીય હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં કેરળમાં ચોમાસુ ત્રાટકે તેવી આગાહી કરી હતી. દરમિયાન ઝારખંડમાં વીજળી પડતાં ૧૧ અને મધ્યપ્રદેશમાં ત્રણનાં મોત થયા હતા. દરમિયાન ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી યથાવત હતી.
દેશમાં ચોમાસાના આગમનના સંકેત રૃપે આજે કેરળમાં નૈઋત્યનું ચોમાસું બેસે તેવા સકારાત્મક સંજોગો પેદા થવાનું ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે જણાવ્યું હતું. ભારતીય હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં કેરળમાં ચોમાસુ ત્રાટકે તેવી આગાહી કરી હતી. દરમિયાન ઝારખંડમાં વીજળી પડતાં ૧૧ અને મધ્યપ્રદેશમાં ત્રણનાં મોત થયા હતા. દરમિયાન ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી યથાવત હતી.