અમરકંટકથી નીકળતી મા નર્મદા કે જેને રેવા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ભરૂચ ખાતે દરિયામાં મળે છે. અમરકંટકથી ગુજરાત સુધી મા નર્મદા નદી પર મહત્ત્વના 4 ડેમ બનવવામાં આવ્યા છે. જેમાં મધ્યપ્રદેશમાં બરગી, ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર, જ્યારે ગુજરાતમાં સરદાર સરોવર કે જે સૌથી મોટો ડેમ નર્મદા નદી પર બનાવવામાં આવ્યો છે. ત્યારે શુક્રવારે (પાંચમી સપ્ટેમ્બર) 23 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઉપરવાસમાંથી 5,90,995 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેમાં 23 દરવાજા થકી 4,46,379 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.