-
યુપીએ સરકાર વખતે મોબાઇલ કંપનીઓને સ્પેકટ્રમની ફાળવણીમાં સરકારને 1.76 લાખ કરોડનું નુકશાન થયું હોવાના આરોપ અંગેના હાઇ પ્રોફાઇલ કેસમાં સીબીઆઇની ખાસ અદાલતે તે વખતના ટેલિકોમ મંત્રી એ. રાજા અને ડીએમકે પક્ષના સાંસદ અને નેતા કનીમોઝી સહિત તમામને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરતાં દિલ્હીના રાજકારણમાં તેના ઘેરી પડઘા પડ્યા હતા. 2011માં જ્યારે આ કથિત ગોટાળો કેગના તે વખતના વડા વિનોદ રાય દ્વારા જાહેર કરાયો ત્યારે ભાજપે તેનો ભરપૂર લાભ ઉઠાવીને કોંગ્રેસને ચારેતરફ ઘેરી હતી. 7 વર્ષ પછી કેસનો ચુકાદો આવ્યો ત્યારે કોર્ટે તપાસ એજન્સી સીબીઆઇ અંગે એવું અવલોકન કર્યું કે સીબીઆઇ કેસના પુરાવા આપવામાં નિષ્ફળ ગઇ છે, તપાસ એજન્સી ગેરરીતિ થઇ હોવાનું પૂરવાર કરી શકી નથી.
-
યુપીએ સરકાર વખતે મોબાઇલ કંપનીઓને સ્પેકટ્રમની ફાળવણીમાં સરકારને 1.76 લાખ કરોડનું નુકશાન થયું હોવાના આરોપ અંગેના હાઇ પ્રોફાઇલ કેસમાં સીબીઆઇની ખાસ અદાલતે તે વખતના ટેલિકોમ મંત્રી એ. રાજા અને ડીએમકે પક્ષના સાંસદ અને નેતા કનીમોઝી સહિત તમામને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરતાં દિલ્હીના રાજકારણમાં તેના ઘેરી પડઘા પડ્યા હતા. 2011માં જ્યારે આ કથિત ગોટાળો કેગના તે વખતના વડા વિનોદ રાય દ્વારા જાહેર કરાયો ત્યારે ભાજપે તેનો ભરપૂર લાભ ઉઠાવીને કોંગ્રેસને ચારેતરફ ઘેરી હતી. 7 વર્ષ પછી કેસનો ચુકાદો આવ્યો ત્યારે કોર્ટે તપાસ એજન્સી સીબીઆઇ અંગે એવું અવલોકન કર્યું કે સીબીઆઇ કેસના પુરાવા આપવામાં નિષ્ફળ ગઇ છે, તપાસ એજન્સી ગેરરીતિ થઇ હોવાનું પૂરવાર કરી શકી નથી.