Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતની વિજય રૂપાણી સરકારે રાજ્યના ત્રણ વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને ડીજીપી ગ્રેડમાં પ્રમોશન આપ્યું છે. રૂપાણી સરકારે ગુજરાત કેડરની 1986 બેચના વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ કેશવ કુમાર , ડૉ વિનોદ કુમાર મલ અને સંજય શ્રીવાસ્તવ ને ડીજીપી ગ્રેડનું પ્રમોશન આપ્યું છે.

આ ત્રણે 1986 બેચના આઈપીએસ અધિકારી ગુજરાત રાજ્યના પોલીસ વડા બનવાની રેસમાં છે. રાજ્ય સરકાર દ્વારા ડીજીપીની પસંદગી માટે 13 નામોની યાદી કેન્દ્રને મોકલવામાં આવી છે અને કેન્દ્ર માંથી લીલી ઝંડી મળ્યા બાદ નામ જાહેર કરવામાં આવશે. આ યાદીમાં આ ત્રણેય અધિકારીનાં નામ હોવાનું પણ કહેવાય છે.

આ ત્રણ અધિકારી પૈકી કેશવ કુમાર હાલ એસીબીના સ્પેશિયલ ડાયરેક્ટર છે જ્યારે ડૉ વિનોદ કુમાર મલ પોલીસ રિફોર્મના એડીજીપી છે. સંજય શ્રીવાસ્તવ સીઆઈડી ક્રાઈમના એડીજીપી તરીકે ફરજ બજાવતા હતા.

ગુજરાતની વિજય રૂપાણી સરકારે રાજ્યના ત્રણ વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને ડીજીપી ગ્રેડમાં પ્રમોશન આપ્યું છે. રૂપાણી સરકારે ગુજરાત કેડરની 1986 બેચના વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ કેશવ કુમાર , ડૉ વિનોદ કુમાર મલ અને સંજય શ્રીવાસ્તવ ને ડીજીપી ગ્રેડનું પ્રમોશન આપ્યું છે.

આ ત્રણે 1986 બેચના આઈપીએસ અધિકારી ગુજરાત રાજ્યના પોલીસ વડા બનવાની રેસમાં છે. રાજ્ય સરકાર દ્વારા ડીજીપીની પસંદગી માટે 13 નામોની યાદી કેન્દ્રને મોકલવામાં આવી છે અને કેન્દ્ર માંથી લીલી ઝંડી મળ્યા બાદ નામ જાહેર કરવામાં આવશે. આ યાદીમાં આ ત્રણેય અધિકારીનાં નામ હોવાનું પણ કહેવાય છે.

આ ત્રણ અધિકારી પૈકી કેશવ કુમાર હાલ એસીબીના સ્પેશિયલ ડાયરેક્ટર છે જ્યારે ડૉ વિનોદ કુમાર મલ પોલીસ રિફોર્મના એડીજીપી છે. સંજય શ્રીવાસ્તવ સીઆઈડી ક્રાઈમના એડીજીપી તરીકે ફરજ બજાવતા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ