મોદી સરકારે મધ્યમવર્ગને પોસાય તેવાં મકાનોને વેગ આપવા માટે બુધવારે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં મિડલ ઇન્કમ ગ્રૂપ(એમઆઈજી) માટે ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ(સીએલએસએસ) અંતર્ગત હાઉસિંગ લોનમાં અપાતી વ્યાજસબસિડી માટે માન્ય મકાનોના કાર્પેટ એરિયાને ૩૩ ટકા સુધી વધારવાને મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત અપાતી વ્યાજસબસિડી માટે માન્ય કાર્પેટ એરિયામાં વધારો કરાતાં મિડલ ઇન્કમ ગ્રૂપના વધુ ગ્રાહકોને લાભ મળી શકશે.