જમ્મુ-કાશ્મીર માટે બનેલા સંવેધાનિક અનુચ્છેદ 370ના કેટલાક પ્રાવધાનોને સમાપ્ત કર્યા બાદ હવે પાકિસ્તાન બેબાકળું બન્યું છે. પાકિસ્તાને ભારત સરકારને યુદ્ધની ધમકી આપી છે. પાકિસ્તાનનું કહેવું છે કે, ભારત, પાકિસ્તાનને ફિલિસ્તીન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઈમરાન ખાન સરકારના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે, સંસદમાં નકામા વિષયો પર સમય બગાડવાને બદલે આપણે ભારતનો જવાબ લોહી, આંસું અને પરસેવાથી આપવો પડશે. આપણે જંગ માટે તૈયાર રહેવું પડશે.
જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા અનુચ્છેદ 370ને સમાપ્ત કરવાના પ્રસ્તાવિત બિલને રાજ્યસભામાં પાસ કરવામાં આવ્યું છે. તેને લઈને પાકિસ્તાની સરકાર અને ત્યાંની રાજકીય પાર્ટીઓમાં આવેશ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓએ ત્યાંના વડાપ્રધાન ઈમરાન ખાનને આડે હાથ લેતા તેમને ખરી ખોટી સંભળાવી છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફની દીકરી મરિયમ નવાઝે ઈમરાન ખાનને આડે હાથ લીધા છે. તેણે કહ્યું, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીરના મુદ્દા પર મધ્યસ્થતાની વાત કરીને ઈમરાન ખાનને મુરખ બનાવ્યા અને તેઓ એ અનુમાન ના લગાવી શક્યા કે ભારત કઈ યોજના બનાવી રહ્યું છે.
મોદી સરકારે જમ્મુ-કાશ્મીર પર અપ્રત્યાશિતરીતે અનુચ્છેદ-370 હટાવવા અને તેનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરી તેને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે માન્યતા આપ્યા બાદ પાકિસ્તાનમાં ખલબલી મચી ગઈ છે.
જમ્મુ-કાશ્મીર માટે બનેલા સંવેધાનિક અનુચ્છેદ 370ના કેટલાક પ્રાવધાનોને સમાપ્ત કર્યા બાદ હવે પાકિસ્તાન બેબાકળું બન્યું છે. પાકિસ્તાને ભારત સરકારને યુદ્ધની ધમકી આપી છે. પાકિસ્તાનનું કહેવું છે કે, ભારત, પાકિસ્તાનને ફિલિસ્તીન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઈમરાન ખાન સરકારના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે, સંસદમાં નકામા વિષયો પર સમય બગાડવાને બદલે આપણે ભારતનો જવાબ લોહી, આંસું અને પરસેવાથી આપવો પડશે. આપણે જંગ માટે તૈયાર રહેવું પડશે.
જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા અનુચ્છેદ 370ને સમાપ્ત કરવાના પ્રસ્તાવિત બિલને રાજ્યસભામાં પાસ કરવામાં આવ્યું છે. તેને લઈને પાકિસ્તાની સરકાર અને ત્યાંની રાજકીય પાર્ટીઓમાં આવેશ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓએ ત્યાંના વડાપ્રધાન ઈમરાન ખાનને આડે હાથ લેતા તેમને ખરી ખોટી સંભળાવી છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફની દીકરી મરિયમ નવાઝે ઈમરાન ખાનને આડે હાથ લીધા છે. તેણે કહ્યું, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીરના મુદ્દા પર મધ્યસ્થતાની વાત કરીને ઈમરાન ખાનને મુરખ બનાવ્યા અને તેઓ એ અનુમાન ના લગાવી શક્યા કે ભારત કઈ યોજના બનાવી રહ્યું છે.
મોદી સરકારે જમ્મુ-કાશ્મીર પર અપ્રત્યાશિતરીતે અનુચ્છેદ-370 હટાવવા અને તેનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરી તેને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે માન્યતા આપ્યા બાદ પાકિસ્તાનમાં ખલબલી મચી ગઈ છે.