ઉત્તર કાશ્મીરનાં ગુરેજ સેક્ટરમાં સરહદ પારથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના એક મેજર સહિત ચાર જવાન શહીદ થયાં છે. સેનાએ ઘૂસણખોરી કરી રહેલાં આઠમાંથી ચાર આતંકવાદીને ઠાર માર્યાં હતાં. શહીદ થયેલાં જવાનોમાં મેજર કે. પી. રાણા, હવાલદારો જેમીસિંહ, વિક્રમજિત અને રાઇફલમેન મનદીપનો સમાવેશ થાય છે. આ ઘટના બાદ એલઓસી પરના તમામ વિસ્તારોમાં હાઇએલર્ટ જાહેર કરી દેવાયો છે.
ઉત્તર કાશ્મીરનાં ગુરેજ સેક્ટરમાં સરહદ પારથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના એક મેજર સહિત ચાર જવાન શહીદ થયાં છે. સેનાએ ઘૂસણખોરી કરી રહેલાં આઠમાંથી ચાર આતંકવાદીને ઠાર માર્યાં હતાં. શહીદ થયેલાં જવાનોમાં મેજર કે. પી. રાણા, હવાલદારો જેમીસિંહ, વિક્રમજિત અને રાઇફલમેન મનદીપનો સમાવેશ થાય છે. આ ઘટના બાદ એલઓસી પરના તમામ વિસ્તારોમાં હાઇએલર્ટ જાહેર કરી દેવાયો છે.