ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને ભારતીય વિદેશ મંત્રાલયે ભારતીય વિદ્યાર્થીઓને ઈરાનથી સુરક્ષિત રીતે લાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ત્રણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને હાલ માટે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અન્ય વિદ્યાર્થીઓને પણ ખસેડવામાં આવી રહ્યા છે. ઈરાનમાં લગભગ દસ હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે જેમાં દોઢ હજાર કાશ્મીરીઓનો પણ સમાવેશ થાય છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ત્યાં મેડિકલનો અભ્યાસ કરે છે.