Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ડાયમંડ કંપનીમાંથી છુટા કરાયેલા રત્નકલાકારો માટે રાહતના સમાચાર છે અમેરિકાની જવેલરી સાથે સંકળાયેલી એક સંસ્થા આવા રત્નકલાકારોની મદદે આવી છે. લગભગ 50 લાખ રૂપિયાની મદદ આપવાની તૈયારી બતાવી છે. આ માટે સુરતના 6 સભ્યોની કમિટી બનાવી છે જે જરૂરિયાત મંદ રત્નકલાકારોનો સરવે કરીને મદદ પહોંચાડશે. રત્નકલાકારોની જે પ્રાયોરીટી હશે તે મુજબ મદદ કરવાામાં આવશે. ગ્રોસરી, મેડીકલ, સ્કુલ ફી, લાઇટબીલ, ઘરભાડું જેવી મદદ કરવામાં આશે અને જેમને રોકડાની જરૂર હશે તેમને સીધા ખાતામાં રકમ જમા કરવામાં આવશે.

રત્નકલાકારોની મદદ માટે બનાવાયેલી કંમિટીના નિલેશ બોડકીએ ખબર છે ડોટ કોમને કહ્યું હતું કે જેમ એન્ડ જવેલરી એસોસિયેશન,અમેરિકાના પ્રમુખ નિતીન પટેલે મંદીના સમયમાં છુટા કરાયેલા રત્નકલાકારોની મદદ કરવાની ઇચ્છા દર્શાવી હતી.અને એના માટે 6 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. નિતીન પટેલ પોતે સુરત આવીને હાલના માહોલની જાણકારી મેળવી હતી.અત્યાર સુધીમાં લગભગ 200 જેટલા પરિવારની માહિતાી મેળવીને તેમને મદદ આપવાનું શરૂ કરવામાં આવશે.

ડાયમંડ કંપનીમાંથી છુટા કરાયેલા રત્નકલાકારો માટે રાહતના સમાચાર છે અમેરિકાની જવેલરી સાથે સંકળાયેલી એક સંસ્થા આવા રત્નકલાકારોની મદદે આવી છે. લગભગ 50 લાખ રૂપિયાની મદદ આપવાની તૈયારી બતાવી છે. આ માટે સુરતના 6 સભ્યોની કમિટી બનાવી છે જે જરૂરિયાત મંદ રત્નકલાકારોનો સરવે કરીને મદદ પહોંચાડશે. રત્નકલાકારોની જે પ્રાયોરીટી હશે તે મુજબ મદદ કરવાામાં આવશે. ગ્રોસરી, મેડીકલ, સ્કુલ ફી, લાઇટબીલ, ઘરભાડું જેવી મદદ કરવામાં આશે અને જેમને રોકડાની જરૂર હશે તેમને સીધા ખાતામાં રકમ જમા કરવામાં આવશે.

રત્નકલાકારોની મદદ માટે બનાવાયેલી કંમિટીના નિલેશ બોડકીએ ખબર છે ડોટ કોમને કહ્યું હતું કે જેમ એન્ડ જવેલરી એસોસિયેશન,અમેરિકાના પ્રમુખ નિતીન પટેલે મંદીના સમયમાં છુટા કરાયેલા રત્નકલાકારોની મદદ કરવાની ઇચ્છા દર્શાવી હતી.અને એના માટે 6 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. નિતીન પટેલ પોતે સુરત આવીને હાલના માહોલની જાણકારી મેળવી હતી.અત્યાર સુધીમાં લગભગ 200 જેટલા પરિવારની માહિતાી મેળવીને તેમને મદદ આપવાનું શરૂ કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ